Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારઃ ત્રાસવાદી ઠાર

શ્રીનગર, તા.૧૪: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળોને અહીં ૨ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. એન્કાઉન્ટર સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસ દળની સંયુકત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી રહી હતી. એવામાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર હુમલો કરી ગોળીબાર શરૂ કરી દીધો હતો અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ ફસાયા હોવાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૩ અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. દળનું ઓપરેશન હજુ ચાલુ છે.

(11:13 am IST)