Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

શનિવારે નરેન્દ્રભાઈ દેશમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરશે

શનિવારે ત્રણ હજાર કેન્દ્રો ઉપર વેક્સિનેશન પ્રક્રિયા શરૂ: પાંચ હજાર કેન્દ્રોમાં કોરોના વેકસીન આપવામાં આવશે.

નવી દિલ્હી :શનિવાર તારીખ ૧૬ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત કરશે તેવી જાહેરાત નીતિ આયોગના વી કે પોલે કરી છે. પ્રથમ ચરણમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોના વેક્સિન આપવામાં આવશે. શ્રી પોલે કહ્યું હતું કે નરેન્દ્રભાઇ વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરશે. તેમના વિવરણ ઉપર કાર્ય ચાલી રહ્યું છે. શનિવારે ત્રણ હજાર કેન્દ્રો ઉપર વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થશે. આગળ ઉપર પાંચ હજાર કેન્દ્રોમાં કોરોના વેકસીન  આપવામાં આવશે. પ્રત્યેક કેન્દ્રમાં એક સત્રમાં એકસો  વ્યક્તિને કોરોના વેક્સીન અપાશે.

(11:16 pm IST)