Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

સુપ્રીમકોર્ટના ન્યાયધીશોની ચેતવણી એ આંતરિક મુદો નથી : ઉમર અબ્દુલ્લા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ શનિવારે કહ્યું કે ઉચ્ચતમ ન્યાયાલયના ચાર વરિષ્ઠ ન્યાયધીશોની એ ચેતવણી કે લોકશાહી જોખમમાં છે તે સર્વોચ્ચ ન્યાયાલયનો આંતરિક મુદો નથી તથા આ મુદો દરેક ભારતીય માટે ચિંતાનો વિષય હોવો જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય વિપક્ષી નેશનલ કોન્ફરન્સના (એન.સી.) કાર્યકારી અધ્યક્ષ અબ્દુલાએ કહ્યું કે ચાર ન્યાયાધીશોમાંથી એક ન્યાયમૂર્તિ ેચેલામેશ્વરની રજી કૌભાંડમાં નિર્દોષ મુકત થયેલા ડી.રાજા સાથે થયેલી બેઠક ઉતાવળમાં ભરવામાં આવેલું ખોટું પગલું હતું. અબ્દુલ્લાએ ટ્વીટ કરી કે ભારતમાં લોકશાહી જોખમમાં છે. તેમણે કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિરૂધ્ધ કોંગ્રેસ અથવા રાહુલ વિરૂધ્ધ મોદીનો મુદો નથી. આ એક એવો મુદો છે જે દરેક ભારતીયની ચિંતાનો વિષય છે.

(12:01 pm IST)