Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

નેપાળનાં વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ અમિતાભ અને અભિષેક જલ્દી સાજા થાય તેવી પ્રાર્થનાં કરી

નેપાળ વડાપ્રધાને આ સંદર્ભે ટ્વીટ કરી બંને જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરી

નવી દિલ્હી સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી જતા દેશ-વિદેશનાં ચાહકો દ્વારા તેમને જલદી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરતા સંદેશ મોકલી રહ્યા છે, તેમાં નેપાળનાં વડા પ્રધાનકેપી શર્મા ઓલીનો પણ સમાવેશ થાય છે, ઓલીએ પણ મહાનાયક અને પરિવાર કોરોના સંક્રમણ સામે જલ્દીથી સ્વસ્થ બને એવી પ્રાર્થના કરી છે.

નેપાળ વડાપ્રધાને આ સંદર્ભે ટ્વીટ કરી લાગણી વ્યક્ત કરી કે ભારતના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનના સારા સ્વાસ્થ અને જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરુ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દી ફિલ્મ જગતનાં લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધુ એશ્વર્યા બચ્ચન અને પૌત્રી આરાધ્ય પણ કોરોના પોઝિટીવ થવાથી મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જોકે જયા બચ્ચનનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો.

(12:00 am IST)