Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સોનિયા ગાંધીની તબિયત હાલ સ્થિર છે : ડો. રણદીપ સુરજેવાલા

કોરોના પોઝીટીવ આવ્યા બાદ તબિયત લથડતા દિલ્હી સારવારમા

નવી દિલ્હી,તા.૧૨ : સોનિયા ગાંધીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ દિલ્હી હોસ્પિટલમા દાખલ કરાયા છે અને તેમની તબીયત સ્થિર હોવાનુ ડો. રણદિપ સુરજેવાલા એ જણાવ્યુ છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી છે. તેઓ કોરોનાથી સંક્રમિત છે. સમસ્યા વધ્યા બાદ તેમને રવિવારે સવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે. તેને થોડા દિવસો સુધી ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે.

(12:00 am IST)