Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

શાખામાં જઇ શકશે હરિયાણાના સરકારી કર્મચારીઃ રાજય સરકારે રોક હટાવી

ચંદીગઢ તા. ૧ર :.. હરિયાણામાં હવે સરકારી કર્મચારીઓ સંઘની શાખામાં ભાગ લઇ શકશે. રાજય સરકારે ૧૯૬૭ અને ૧૯૮૦ માં જાહેર બે આદેશો પાછા લીધા છે, જેમાં સરકારી કર્મીઓને સંઘની ગતિવીધીઓમાં ભાગ લેવા પ્રતિબંધ લગાડાયેલ. કોંગ્રેસે સીએમ ખટ્ટરના નિર્ણયનો ભારે વિરોધ કરી જણાવેલ કે, શું રાજય સરકાર ભાજપ-આરએસએસની પાઠશાળા ચલાવી રહી છે. સામાન્ય પ્રશાસન વિભાગે ગઇકાલે જાહેર કરેલ આદેશમાં કહયું કે હરિયાણા સીવીલ સેવા નિયમ ર૦૧૬ માં લાગુ થયાબ ાદ આ બન્ને નિર્દેશો પ્રાસંગીક ન રહેતા તેને તત્કાળ પ્રભાવથી પરત લેવાયા છે.

(4:02 pm IST)