Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ સહિત બે આતંકીઓ ઠાર

શ્રીનગર : સુરક્ષા દળોએ, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ અને અન્ય એક સ્થાનિક આતંકવાદીને, અહીંના રામબાગ વિસ્તારમાં મીર મહોલ્લા બરજુલા ખાતે, એક અથડામણ દરમિયાન ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ બંને આતંકીઓની લાશ કબજે કરી છે. આ સાથે ઘટના સ્થળેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. સોમવારે શ્રીનગરના રામબાગ વિસ્તારના, મીર મહોલ્લા બરજુલા માં સુરક્ષાદળોને, આતંકવાદીઓ છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ આધારે સેના, પોલીસ અને સીઆરપીએફની સંયુકત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

(4:00 pm IST)