Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો : ભાજપ નેતા જસપ્રીત સિંહના ઘર પર ગ્રેનેડ હુમલો : પાંચ લોકો ઘાયલ

હુમલા બાદ આખા વિસ્તારને સીલ કરી દેવાયો : પોલીસે હુમલાખોરની તલાશ શરુ કરી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ બેફામ બન્યા છે ભાજપના નેતા જસપ્રીત સિંહના ઘર પર બોંબ ફેંક્યો છે, આ હુમલામાં  પાંચ લોકો ઘાયલ થયા છે

ગ્રેનેડ હુમલા બાદ આખા વિસ્તારને સીલ કરી દેવાયો છે. જમ્મુ એડીજીપીએ પણ ગ્રેનેડ હુમલાની પુષ્ટિ કરીર છે. પોલીસે હુમલાખોરની તલાશ શરુ કરી છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

(10:56 pm IST)