Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

નારાયણ સાંઈને મળેલા ફર્લો જામીનના હુકમ ઉપર સુપ્રીમ કોર્ટે મનાઇ ફરમાવી

સુપ્રીમ કોર્ટે આસારામબાપુના પુત્ર નારાયણ સાંઈને, હાઇકોર્ટે બે અઠવાડિયા માટે આપેલ ફર્લો/ જામીનના હુકમ ઉપર, મનાઇ ફરમાવી છે. એટલે હવે નારાયણ સાંઈ જમીન ઉપર છૂટીને પિતાને મળવા જઈ શકશે નહીં તેમ જાણવા મળે છે. ૨૦૧૪ના બળાત્કાર કેસમાં નારાયણ સાંઈ જેલમાં સજા કાપી રહેલા છે. તેના પિતા આસારામ બાપુ પણ આવા જ કારણોસર જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમની તબિયત અવારનવાર બગડતી રહે છે તેથી નારાયણસાંઈએ જામીન માગ્યા હતા. હાઈકોર્ટે મંજુર કરેલ, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના ઉપર આજે મનાઇ ફરમાવી છે.

(11:37 am IST)