Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

પાકિસ્તાનમાં બે ખ્રિસ્તી નર્સ વિરુદ્ધ ઇશનિંદાનો આરોપ : હોસ્પિટલના વોર્ડની દીવાલ ઉપર લખેલી ઇસ્લામી આયાતોના સ્ટીકર કાઢી નાખ્યા : કોર્ટ કેસ દાખલ

લાહોર : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક હોસ્પિટલના અધિકારીની ફરિયાદના આધારે બે ખ્રિસ્તી નર્સો સામે ઇશનિંદાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ માહિતી આપી હતી. દરમિયાન લોકોએ નર્સો સામે વિરોધ નોંધાવ્યો હતો અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નર્સો ઉપરનો  આરોપ છે કે હોસ્પિટલના વોર્ડની દિવાલ ઉપર લખેલા ઇસ્લામિક આયાતોના  સ્ટીકર કાઢી નાખવામાં આવ્યા છે. આ વોર્ડમાં માનસિક રોગોની સારવાર કરવામાં આવે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.મહમદ અલીની ફરિયાદ પરથી  જિલ્લા હેડક્વાર્ટર હોસ્પિટલ, ફેસલાબાદની નર્સો  મરિયમ લાલ અને નેવિસ અરજ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:15 pm IST)