Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

દિલ્હીના શાસ્ત્રી પાર્કમાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ: રપ૦ દુકાનો બળીને ખાક : આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા

મોડી રાતે લગભગ ભીષણ આગ લાગી હતી જે સવારે 3 વાગે આગ પર કાબુ આવી હતી

નવી દિલ્હી: દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં મોડી રાતે લગભગ 12.45 વાગે ભીષણ આગ લાગી. ઘટનાની સૂચના મળતા જ ફાયર વિભાગનાી 32 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ લાગવાથી માર્કેટમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગે ખુબ જહેમત કરવી પડી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 3 વાગે આગ પર કાબુ મેળવવામાં આવ્યો.

દિલ્હી ફાયર સર્વિસમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસ રાજેશ શુક્લાના જણાવ્યાં મુજબ શાસ્ત્રી પાર્કમાં એક ફર્નિચર બજારમાં આગ લાગી. આગ લાગવાની સૂચના મળતા જ 32 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ બુઝવવાનું કામ શરૂ કર્યું. આઠ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

ત્રણ દિવસ પહેલા જ દિલ્હીના દિલશાદ ગાર્ડન ઔદ્યોગિક વિસ્તારમાં સવારે ચાર માળની ઈમારતમાં આવેલા એક સ્ટેશનરી ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે આ આગમાં પણ કોઈ જાનહાનિના સમાચાર નહતા. દિલ્હી ફાયર સેવાના નિદેશક અતુલ ગર્ગે આગ  લાગવા પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરી હતી.

(12:34 pm IST)