Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

દિલ્હીમાં કેજરીવાલ દ્વારા ગણેશ પૂજન : તમામ ચેનલ પર પ્રસારણ

દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ગણેશ ચતુર્થી પર આ વખતે કોરોનાના કારણે પંડાલાના જાહેર કાર્યક્રમોની પરવાનગી નથી એટલે અમે આપના માટે આ શાનદાર ગણેશપૂજન કાર્યક્રમ કરાવી રહ્યા છીએ. આશા છે કે પૂજાના આ કાર્યક્રમનું લાઇવ ટેલીકાસ્ટ બધી ચેનલો પર થશે તેમણે કહ્યું હતું કે અમે આજે સાંજે ૭ વાગ્યે ગણેશ પૂજન કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ, મને આશા છે કે બધી ટીવી ચેનલો પર તેનું પ્રસારણ થશે. હું બધા લોકોને પોતાના બાળકો સાથે આ ભવ્ય કાર્યક્રમ જોવા અનુરોધ કરૂ છું.

(3:40 pm IST)