Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ગયા વર્ષ કરતા આ વર્ષે દેશના કુલ અબજોપતિની સંખ્યામાં ઘટાડો થયો

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારે સંસદને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં અબજોપતિઓની સંખ્યા ૨૦૨૦-૨૧માં ઘટીને ૧૩૬ થઈ ગઈ છે. જે ૨૦૧૯-૨૦માં  ૧૪૧ હતી. ઇન્કમટેક્સ રીટર્નમાં દર્શાવેલ ગ્રોસ ઈન્કમના આધારે આ યાદી તૈયાર કરવામાં આવે છે.
જ્યારે ૨૦૧૮-૧૯ દરમિયાન આવકવેરા વિભાગમાં દાખલ કરેલ આવકવેરા રિટર્નમાં એક વર્ષમાં રૂ. ૧૦૦ કરોડ (એક અબજ રૂપિયા) થી વધુ કુલ આવક જાહેર કરનાર વ્યક્તિઓની સંખ્યા ૭૭ હતી, એમ તેમણે એક જવાબમાં જણાવ્યું હતું.

(9:28 pm IST)