Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

પહેલા કપાળ પરથી તિલક લૂછી નાખો પછી ક્લાસમાં આવો : તિલક લગાવી પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીને બહાર કાઢી મુકવા મામલે ધનબાદમાં હંગામો : VCએ આપ્યો તપાસનો આદેશ

ધનબાદ : પી.કે.રાય કોલેજમાં પરીક્ષા દરમિયાન તિલક લગાવીને આવેલા વિદ્યાર્થીને બહાર કાઢવાના કિસ્સાએ જોર પકડ્યું છે. NSUIએ આ મામલે તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ધનબાદની પીકે રાય કોલેજમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ તિલક લગાવીને ક્લાસમાંથી બહાર નીકળવાના કિસ્સાએ જોર પકડ્યું છે. પહેલા દિવસે BBMKUના ડીન હ્યુમેનિટીએ આ મામલો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. હવે NSUIએ આ મામલાની તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધી રહેલા વિરોધ બાદ વીસીએ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.

પીકે રાયના હિન્દી વિભાગના પ્રોફેસર મુકુલ રવિદાસ પર આરોપ છે કે તેણે તિલક લગાવીને પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીને પહેલા તેનું તિલક લૂછી નાખો તેવું કહીને વર્ગમાંથી કાઢી મૂક્યો હતો. આ મામલો મીડિયામાં આવ્યા બાદ વિદ્યાર્થી સંગઠનોએ પણ આ મામલે તપાસની માંગ કરી છે. ગુરુવારે એનએસયુઆઈની ટીમે તિલક લગાવવાને લઈને સર્જાયેલા રાજકીય વિવાદની નિષ્પક્ષ તપાસ અને સત્ય સામે લાવવાની માંગણી કરી છે.

NSUI એ DSW ને મળીને સમગ્ર મામલાની જાણ કરી અને કાર્યવાહી કરવાની માંગ કરી. જેના પર ડીએસડબ્લ્યુએ કહ્યું કે કોઈ લેખિત ફરિયાદ મળી નથી.

એનએસયુઆઈએ નિષ્પક્ષ તપાસની માંગ કરતા કહ્યું હતું કે જો શિક્ષકે ભૂલ કરી હોય તો તેને તાત્કાલિક ધોરણે હાંકી કાઢવા જોઈએ કારણ કે શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ વ્યક્તિ તેની વિચારધારા કોઈના પર થોપી શકે નહીં, તિલક લગાવવું ,હિજાબ પહેરવું, પાઘડી બાંધવી એ બધું ધર્મનો ભાગ છે. કોઈ તેને રોકી શકે નહીં.આના પર વાઈસ ચાન્સેલરે કહ્યું કે તેઓ તપાસ કમિટી બનાવશે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરશે અને દોષિતોને બક્ષવામાં આવશે નહીં.તેવું એચ..ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)