Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

CDS બિપીન રાવત અને તેમની પત્નીના શુક્રવારે દિલ્હી છાવણીમાં અંતિમ સંસ્કાર કરાશે : પાર્થિવ દેહ સૈન્ય વિમાનમાં દિલ્હી લવાશે

સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી અંતિમ આદર આપવા મંજૂરી : અંતિમયાત્રા કામરાજ માર્ગથી દિલ્હી છાવણીમાં બ્રાર સ્ક્વેર સ્મશાન સુધી થશે.

નવી દિલ્હી : ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના અંતિમ સંસ્કાર શુક્રવારે (10 ડિસેમ્બર) દિલ્હી છાવણીમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહ આવતીકાલે સાંજ સુધીમાં સૈન્ય વિમાનમાં રાષ્ટ્રીય રાજધાની પહોંચવાની અપેક્ષા છે.

તેમના પાર્થિવ દેહોને શુક્રવારે તેમના ઘરે લાવવામાં આવશે અને લોકોને સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અંતિમ આદર આપવાની મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ તેમની અંતિમયાત્રા કામરાજ માર્ગથી દિલ્હી છાવણીમાં બ્રાર સ્ક્વેર સ્મશાન સુધી થશે.

(11:46 am IST)