Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

એક બાદ એક સ્ટાર્સ શો છોડતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનાં પ્રોડ્યુસર આસિત મોદીએ સ્ટારકાસ્ટ માટે કોન્ટ્રાક્ટ બનાવ્યો

જો આ બધા કલાકાર બધું કરવા લાગશે તો શોની પોતાની વેલ્યુ ઘટી જશે. જ્યારે કોઈ કલાકાર શો છોડવાનો નિર્ણય લે છે તો મને ઘણું દુઃખ થાય છે : આસિત મોદી

મુંબઈ તા.09 : કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઓનલાઇન TRPમાં હંમેશાં ટોપ 5માં રહેતી હોય છે. હાલમાં જ આ સિરિયલે 14 વર્ષ પૂરા કર્યા હતા. સફળતાની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા પર સંકટ મંડરાય રહ્યું છે. તેની સાથે સાથે એક બાદ એક સ્ટાર્સ શો છોડી રહ્યા છે. જેને લઈ પ્રોડ્યુસર આસિત મોદીની ચિંતા વધી છે. પ્રોડ્યુસર આસિત મોદીએ સ્ટારકાસ્ટ માટે કોન્ટ્રાક્ટ બનાવ્યો છે.

આ કોન્ટ્રાક્ટની કેમ જરૂર પડી અને શું તે યોગ્ય છે, આ વિશે આસિત મોદીએ જણાવ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં આસિત મોદીએ કહ્યું- ઓડિયન્સને આ શો ઘણો પસંદ છે તે પણ એટલા માટે કેમ કે શોના પાત્ર લોકોને એક્સક્લૂસિવ એવા જ પાત્રમાં જોવા માગે છે. જો આ બધા કલાકાર બધું કરવા લાગશે તો શોની પોતાની વેલ્યુ ઘટી જશે. જ્યારે કોઈ કલાકાર શો છોડવાનો નિર્ણય લે છે તો મને ઘણું દુઃખ થાય છે. આ પરિવાર છે, હું તેમણે શોમાં લઈને આવ્યો છું. હું તેમની સમસ્યાઓને સમજીને તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરું છું. આ એક જર્ની છે કોઈ અટકી જશે તો કોઈ વચ્ચેથી શોને છોડી દેશે.

મેં ક્યારેય ઈગો ઈશ્યુના કારણે સમસ્યા નથી આવવા દીધી. હું માત્ર એટલું ઈચ્છું છું કે બધા સાથે રહે અને સાથે સક્સેસ એન્જોય કરે. તેમ છતાં જો તેઓ શો છોડવા માગતા હો તો હું શું કરી શકું? લોકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો, આવી સ્થિતિમાં જ્યારે તેઓ શો છોડે છે તો લોકો પણ દુઃખી થાય છે. તેઓ મને મેસેજ કરીને પૂછે. પોતાની નારાજગી વ્યક્ત કરે છે.

દિશા વાકાણી પછી તારક મહેતાના શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. જો કે હજી કન્ફર્મેશન નથી. શૈલેષ બીજો શો વાહ ભાઈ વાહમાં જોવા મળી રહ્યો છે. શૈલેષ વિશે વાત કરતા આસિત મોદીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોઈના જવાથી શો બંધ નહીં થાય. જો જૂના તારક મહેતા પાછા આવે છે તો સારું છે અને નહીં આવે તો નવા તારક મહેતા જરૂર આવશે.

આ બધા ડ્રામાની વચ્ચે ફેન્સ ઘણા અપસેટ છે. અત્યાર સુધી દયાબેનની કમી મહેસૂસ થાય છે. હવે તારક મહેતા ન આવતા લોકો નારાજ છે. હવે ખબર નહીં આગળ શું શું થવાનું છે.

(9:36 pm IST)