Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નામ ' વૈરાગ્યાનંદ ' ગિરી મહારાજ અને પકડાયા બળાત્કારના આરોપમાં : વૈરાગ્યાનંદ ઉર્ફે મિર્ચી બાબાની ગ્વાલિયરની હોટલમાંથી ધરપકડ : મિર્ચી બાબા વિરુદ્ધ ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે : નશાની ગોળીઓ ખવડાવીને બળાત્કાર ગુજાર્યાનો પીડિતાનો આરોપ

ગ્વાલિયર : જેનું નામ ' વૈરાગ્યાનંદ ' ગિરી મહારાજ છે. તેવા વૈરાગ્યાનંદ ઉર્ફે મિર્ચી બાબાની ગ્વાલિયરની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભોપાલ પોલીસ અને ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં મિર્ચી બાબા હોટલમાંથી ઝડપાયો છે.

કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા વૈરાગ્ય નંદ ગિરી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સોમવારે સવારે ભોપાલ પોલીસની ટીમ ગ્વાલિયર પહોંચી, જ્યાં ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે બાબાને એક હોટલમાંથી પકડવામાં આવ્યો છે.

ભોપાલ પોલીસની ટીમ મિર્ચી બાબાની ધરપકડ કરીને ત્યાંથી રવાના થઈ ગઈ છે. મિર્ચી બાબા વિરુદ્ધ ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.

પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે મિર્ચીએ બાળક પેદા કરવાના બહાને તેને નશાની ગોળીઓ ખવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ભોપાલની પોલીસ ટીમ આરોપી મિર્ચી બાબાને પકડવા માટે ગઈકાલે રાત્રે ગ્વાલિયર પહોંચી હતી, જ્યાં ગઈકાલે સવારે બાબાની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)