Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

શેર બજારના સમાચારોમાં ઓથોરિટી ગણાતા અનિલ સિંઘવી આવતીકાલે સંભવત: રાજકોટ આવી રહ્યા છે

ઝી બિઝનેસ ન્યૂઝ ચેનલના મેનેજિંગ તંત્રી અને શેર બજારના સમાચારનો ટીવી ચેનલ ઉપરનો ખ્યાતનામ ચહેરો શ્રી અનિલ સિંઘવી આવતીકાલે રાજકોટ આવી રહ્યાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. તેઑ દેશની સારી સારી ફંડામેન્ટલ કંપની અંગે, શેર અંગે ભલામણ પણ કરતા હોય છે. ડિજિટલ મીડિયામાં તેમના હજારો ફોલોઅર્સ છે.. જોકે રાજકોટ પંથકના ઝી ન્યૂઝના સત્તાવાર વર્તુળો આવી કોઈ માહિતી હોવાનો ઇનકાર કરે છે. શ્રી સિંઘવીનો ફોન ઉપર સંપર્ક સાધવા પ્રયાસ કરતા સંપર્ક થઈ શક્યો નથી.

(10:35 pm IST)