Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટયા : દેશમાં નવા 25.799 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 39.503 દર્દીઓ રિકવર થયા : વધુ 350 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.28.689 થયો :એક્ટીવ કેસ 3.82.650 થયા : કુલ કેસની સંખ્યા 3.19.95.395 થઇ

સૌથી વધુ કેરળમાં 13.049 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4505 કેસ, તામિલનાડુમાં 1929 કેસ, આંધ્રપ્રદેશમાં 1413 કેસ, કર્ણાટકમાં 1186 કેસ,ઓરિસ્સામાં 1243 કેસ.મણીપુરમાં 467 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 25.799 કેસ નોંધાયા છે. જ્યારે 39.503 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 25.799 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 350 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.28.689 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 25.799 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.19.95.395 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.82.650 થઇ છે છેલ્લા 24 કલાકમાં 39.503 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.11.71.429 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 13.049 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4505 કેસ, તામિલનાડુમાં 1929 કેસ, આંધ્રપ્રદેશમાં 1413 કેસ, કર્ણાટકમાં 1186 કેસ,ઓરિસ્સામાં 1243 કેસ .મણીપુરમાં 467 કેસ નોંધાયા છે

(12:57 am IST)