Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

હવે બંગાળ બહાર ભાજપને હરાવવા મમતા બેનર્જીએ મોરચો માંડ્યો : ત્રિપુરા બાદ આસામમાં આપશે ટક્કર

આસામમાં પ્રભાવ વધારવા અપક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઈ સાથે જોડાણ માટે પ્રયત્નો

નવી દિલ્હી :  મમતા બેનરજીએ ત્રિપુરામાં ભાજપ સામે આરપારનો જંગ છેડયા પછી હવે આસામમાં ભાજપને પડકારવાનું નક્કી કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસનો આસામમાં પ્રભાવ વધારવા મમતાએ અપક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઈ સાથે જોડાણ માટે પ્રયત્નો શરૂ કર્યા છે

આસામમાં ચાના બગીચા તથા અન્ય ઠેકાણે કામ કરતા કામદારોના નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ગોગોઈને મમતાએ કોલકાત્તા બોલાવીને આસામમાં તૃણમૂલનું નેતૃત્વ કરવા કહ્યું છે. ભાજપ સામે આક્રમકતાથી લડી રહેલા ગોગોઈને મજબૂત પીઠબળની જરૂર છે તેથી હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

એક પણ દિવસ પ્રચાર માટે બહાર નહી નિકળેલા ગોગોઈને હરાવવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી છતાં ગોગોઈ સિબસાગર બેઠક પરથી અપક્ષ તરીકે જીતી ગયા હતા. આસામમાં મોટા પ્રમાણમાં મુસ્લિમો અને કામદારો હોવાથી મમતા ભાજપ માટે પડકાર ઉભો કરી શકે છે.

(11:51 pm IST)