Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પાકિસ્તાનમાં મંદિર તોડવાને લઈને સંત સમાજમાં ખૂબ જ આક્રોશ તો મસ્જીદો ધ્વંશ કરાશેઃ જગતગુરૂ પરમહંસની પાકિસ્તાનને ચેતવણી

અયોધ્યાઃ ધર્મનગરી અયોધ્યામાં તપસ્વી છાવણીના મહંત જગતગુરૂ પરમહંસ આચાર્યએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો ફોટો અને પાકિસ્તાનના ઝંડાને ઐતિહાસિક મંદિર સૂર્ય કુંડમાં સળગાવીને વિરોધ કરેલ.

પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોને તોડવાને લઈને સંતોમાં ખૂબ જ આક્રોશ છે. જગતગુરૂ પરમહંસ આચાર્યએ પાકિસ્તાનને ચેતવણી આપેલ કે જે પાકિસ્તાનમાં મંદિર તોડાશે તો હિન્દુસ્તાનમાં મસ્જીદ વિરૂદ્ધ આક્રોશ વ્યકત કરતા તેને તોડી પડાશે.

તેમણે નરેન્દ્રભાઈને પત્ર લખી માંગ કરેલ કે ભારતમાં મુસ્લિમ સમાજના લોકો રહેશે. તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવે અને ત્યાં રહેતા હિન્દુઓને ભારત લાવવામાં આવે કેમ કે ભાગલા બાદ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને મુસલમાન બનાવી તેમની આબાદી ઓછી કરાઈ રહી છે.

વધુમાં તેમણે જણાવેલ કે, પાકિસ્તાનમાં હિન્દુ બહેન-દિકરીઓ સાથે બળાત્કાર કરવામાં આવી રહ્યા છે. હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી નાખવામાં આવી રહી છે. મંદિરો ધ્વંશ કરાઈ રહ્યા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓને પ્રતાડિત કરાઈ રહ્યા છે.

(2:57 pm IST)