Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

' અલ્પવિરામ ' : આ મારુ છેલ્લું પ્રવચન હોય તો ? : ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ.ના ઉપક્રમે 5 માર્ચના રોજ ઓથર ,લેક્ચરર ,તથા સ્ટોરી ટેલર સુશ્રી ધીરુબેન પટેલનું પ્રવચન યોજાયું : યુ ટ્યુબ ઉપર પ્રસારણ કરાયું

ન્યુયોર્ક :  ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ.દ્વારા કલચરલ સેન્ટર તથા કોફી મેટ્સ વિકલ્પના સંયુક્ત ઉપક્રમે 5 માર્ચના રોજ ઓથર ,લેક્ચરર ,તથા સ્ટોરી ટેલર સુશ્રી ધીરુબેન પટેલનું પ્રવચન યોજાયું હતું.જે યુ ટ્યુબ ઉપર પ્રસારિત કરાયું હતું.

અગ્રગણ્ય મહાનુભાવોના જુદા જુદા વિષયો ઉપર યોજવામાં આવતા પ્રવચનોની શૃંખલા પૈકી 11 મા એપિસોડ અંતર્ગત ઉપરોક્ત પ્રવચન સાંજે 6-30 કલાકે યોજાયું હતું. ' અલ્પવિરામ ' : આ મારુ છેલ્લું પ્રવચન હોય તો ? શીર્ષક હેઠળ યોજાયેલા આ પ્રવચનનું યુ ટ્યુબ ઉપર પ્રસારણ કરાયું હતું.તેવું ભવનની યાદી દ્વારા જાણવા મળે છે.

(7:14 pm IST)