Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રઘુરામ રાજને મોદી સરકારના 'આત્મનિર્ભર ભારત' અભિયાનને ગણાવ્યું જોખમી

અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રૂપમાં આવવું જોઇએ નહિ : રાજન

રાજકોટ તા. ૮ : ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામન રાજને મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આશંકા વ્યકત કરી છે કે કયાંક આ સંરક્ષણવાદમાં ન બદલાઈ જાય જેનું આપણને પહેલા સારૂ પરિણામ નથી મળ્યું.

રાજને કહ્યું કે સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રુપમાં ન આવવું જોઈએ. તેમણે કહ્યું કે પહેલા પણ આ પ્રકારની નીતિઓ અપનાવવામાં આવી પરંતુ કોઈ વધારે ફાયદો દેખાયો નહોંતો.

રાજને કહ્યું કે તેમને હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખરે સરકારના આત્મનિર્ભર ભારતનો મતલબ શું છે. જો આ ઉત્પાદન માટે એક પરિવેશ બનાવવા માટે છે તો આ મેક ઈન ઈન્ડિયા પહેલના રિબ્રિડિંગ જેવું છે.

તેમણે કહ્યું કે જો આ સંરક્ષણવાદને લઈને છે, જેમ કે દુર્ભાગ્યથી હાલમાં ટેરિફ વધારવામાં આવ્યો, તો મારી સમજથી આ રસ્તો અપનાવવાનો કોઈ મતલબ નથી. કેમ કે આપણે પહેલા આ પ્રયાસ કર્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુંસાર રઘુરામ રાજને કહ્યું કે, 'પહેલા પણ આપણી પાસે લાયસન્સ પરમિટ રાજ વ્યવસ્થા હતી. સંરક્ષણવાદની આ રીત સમસ્યા ઉભી કરનારી છે. જેણે કેટલીક કંપનીઓને સંમૃદ્ઘ કરી જયારે તે અનેક લોકોની ગરીબીનું કારણ બની છે.

આર્થિક શોધ સંસ્થાન  ICRIERના વેબિનારને સંબોધિત કરતા રાજને આ વાત કરી હતી. શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર રઘુરામ રાજને કહ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે મૈન્યુપેકચરિંગ વ્યવસ્થાની જરૂરિયાત છે અને આનો મતલબ છે કે દેશમાં વિનિર્માતાઓ માટે સસ્તી આયાત પહોંચ હોય. આ હકિકતમાં મજબૂત નિકાસ માટે આધાર બને છે.

તેમણે કહ્યું કે 'કુલ મળીને આપણે વૈશ્વિક આપૂર્તિ વ્યવસ્થાનો ભાગ બનવા માટે બુનિયાદી માળખા, લોજિસ્ટિક સમર્થન વગેરે તૈયાર કરવાની જરૂર છે. પરંતુ આપણે ટેરિફ વાર શરૂ ન કરવું જોઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે આનો કોઈ લાભ નથી.'

(11:38 am IST)