Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રિલાયન્સ દ્વારાઆસામના પ્રખ્યાત કામખ્યા મંદિરને ૧૯ કિલો સોનાથી મઢાશે

આસામના ગુવાહાટીમાં આવેલા પ્રખ્યાત કામાખ્યા મંદિરના ગુંજબને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ૧૯ કિલો સોનાથી મઢવામાં આવી રહ્યો છે એટલે દિવાળીમાં આ મંદિરની આભામાં અનેરી વૃધ્ધિ થવાની છે.

કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ તરફથી કામાખ્યા મંદિરને આ દિવાળી ગિફટ છે.

અત્યારે મુખ્ય ગુંબજની આસપાસના ત્રણ 'કળશ'ને સોનાનો ઢોળ ચડાવવામાં આવી રહ્યો છે.

મુંબઇથી ગયેલા કારીગરો દિવસરાત આ કાર્યમાં મચી પડ્યા છે.

(2:49 pm IST)