Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ડેરા સચ્ચા સોદાનો વડો

રામ રહીમ ૧ દિવસની પેરોલ પર છુટયોઃ ૩૦૦ જવાનોની સુરક્ષા રહી

નવી દિલ્હી તા. ૭: બે સાધ્વીઓ ઉપર દુષ્કર્મ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલે રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સોદાનો વડો ગુરૂ મીત રામ રહીમને ગુપચુપ રીતે ૧ દિવસની પેરોલ મળી હતી. તેને ભાજપના નેતાઓના આશીર્વાદથી ર૪ ઓકટોબરે પેરોલ મળી હતી.

માત્ર મુ. મંત્રી ખટ્ટર સહિત થોડા જ લોકોને જ જાણ હતી. એટલું જ નહિં રામ રહીમને લઇ જનાર જવાનોને પણ ખબર નહોતી કે તેઓ કોને લઇ જઇ રહ્યા છે રામ રહીમને બિમાર માતાને મળવા ૧ દિવસની પેરોલ મળી હતી. તે સાંજ સુધી માતા સાથે રહ્યો હતો.

રામરહીમ ફરતે પોલીસની ટુકડી હતી. એકમાં ૮૦ થી ૧૦૦ જવાનો હતાં. તેને જેલથી પોલીસની બંધ ગાડીમાં લેવાયો હતો. જેમાં પડદા હતાં.

(2:49 pm IST)