Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજકોટ શહેર - જીલ્લામાં કોરોનાથી મૃત્ય આંકમાં વધ-ઘટ : આજે ૨ મોત

કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૨૨૧૫ બેડ ખાલી : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી ૬ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ

રાજકોટ, તા.૭ : શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨ દર્ર્દીનાં મોત થયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઈકાલે ૬ પૈકી એક પણ મૃત્યુ જાહેર થયા નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૬ના સવારનાં ૮ વાગ્યા થી તા.૭ના સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જિલ્લાના ૨  દર્દીઓએ દમ તોડી દીધા હતો .

તંત્રનાં ચોપડે એક પણ મૃત્યુની નોંધ નથી

જયારે  સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૬ પૈકી એક પણ મૃત્યુની નોંધ જાહેર થઇ નથી.કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૨૧૫ બેડ ખાલી છે.

(11:32 am IST)