Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દેશમાં કયાંય પણ ગામ્બીયાવાળી કફ સીરપનું વેચાણ નથી કરાયુઃ સ્વાસ્થ્ય મંત્રાલય

ભારતે ડબલ્યુએચઓને આપ્યો જવાબ

નવી દિલ્હી તા. ૭: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતમાં નિર્મિત શરદી-ઉધરસની ચાર સીરપને લઇને એલર્ટ જાહેર કર્યું છે. ગામ્બીયામાં અનેક બાળકોના મોત થતા ડબલ્યુએચઓએ આ પગલું લીધું છે. હરિયાણા સરકારે આ મામલે તપાસના આદેશો આપ્યા છે.

ભારતે ડબલ્યુએચઓને ઓફીશ્યલી જણાવેલ કે, ભારતમાં કયાંય પણ આ કફ સીરપનું વેંચાણ કરવામાં નથી આવ્યું. મેન્યુફેકચરીંગ કંપની પાસે આ સીરપને ફકત નિકાસ કરવાનો અધિકાર છે.

(3:39 pm IST)