Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મુંબઈ મ્યુનિ.માં નોન-IAS કમિશનરની નિમણુંક વિરુદ્ધની જાહેર હિતની અરજી બોમ્બે હાઇકોર્ટે ફગાવી : વહીવટી સેવા માટેની અરજી મહારાષ્ટ્ર રાજ્ય અથવા સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ સમક્ષ કરવી જોઈએ

મુંબઈ : મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC) ના હાલના મ્યુનિસિપલ કમિશનર નોન-IAS હોવા છતાં કરવામાં આવેલી નિમણૂકને બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દ્વારા પડકારવામાં આવી હતી.

જેને ફગાવી દેતા નામદાર કોર્ટે ગઈકાલે જણાવ્યું હતું કે આ અરજી માટે હાઇકોર્ટ યોગ્ય સ્થળ નથી.વહીવટી સેવા માટેની અરજી મહારાષ્ટ્ર રાજ્ય અથવા સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ સમક્ષ કરવી જોઈએ

ઉલ્લેખનીય છે કે નોન-IAS કમિશ્નરની નિમણુંક મહારાષ્ટ્રના વર્તમાન ચીફ મિનિસ્ટર તથા પૂર્વ મિનિસ્ટર એકનાથ શિંદે દ્વારા તેમના મિનિસ્ટર તરીકેના કાર્યકાળ  દરમિયાન કરવામાં આવી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:58 pm IST)