Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કેરળના કોઝીકોડમાં વિમાન દુર્ઘટનામાં 14 લોકોના મોત : 123 લોકો ઘાયલ : 15 લોકો ગંભીર

દુબઇ-કાલિકટ બોઇંગ 737 એર ઇન્ડિયાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે આ વિમાન રનવે પર લપસી પડ્યા બાદ ક્રેશ લેન્ડ થયું છે જેમાં પાયલોટ સહીત 14 લોકોના મોત નિપજ્યા છે જયારે 123 લોકો ઘાયલ થયા છે જેમાં 15 લોકોની હાલત ગંભીર હોવાનું મલ્લપુરમ એસપીએ જણાવ્યું છે આ વિમાન વંદે ભારત મિશનનો એક ભાગ હતું આ દુર્ઘટનાની જાણ થતા ફાયર ફાયટર ની ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ છે વિમાન દુબઇથી કાલિકટ જઈ રહ્યું હતું.

(11:11 pm IST)