Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નરાધમતા : બળાત્કાર ગુજાર્યો અને પાછળથી સળગાવી મૂકી : ગંભીર

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ ઝાટકણી કાઢી

જયપુર, તા. ૬ :  રાજસ્થાનના હનુમાનગઢ જીલ્લામાં બળાત્કાર પીડિતાને કથિત રીતે આગ લગાવીને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. પોલીસ સ્ટેશનના અધિકારી ઓમપ્રકાશે જણાવ્યું કે આ ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઇ છે. તેમણે જણાવ્યું કે આ ઘટના ગુરૂવારે સવારે બની હતી. પીડિતાને સારવાર માટે બિકાનેરની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. આ અંગે પીડિતા સાથે બળાત્કાર કરનાર આરોપી પ્રદીપ બિશ્નોઇને ઝડપી લેવાયો છે. અને તપાસ ચાલુ છે. રાજયના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ ટવીટ કરીને કહ્યુ઼, દુષ્કર્મના કેસમાં જામીન પર છૂટેલા એક બદમાશે પીડિતાને આગના હવાલે કરવાની ઘટના અત્યંત નિંદનીય છે. આમ કયાં સુધી આપણી બહેન દિકરીઓે કોંગ્રેસના કુશાસનમાં હેવાનોનો શિકાર બનતી રહેશે.

(2:46 pm IST)