Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજીવ ગાંધી અને બેનઝીર ભુટ્ટો કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધવા રાજી હતા :આસિફ ઝરદારીનું દાવો

પરવેઝ મુશર્રફની પાસે કાશ્મીર માટે એક સિક્રેટ પ્લાન હતો.: પાકિસ્તાની સેનાના મોટા અધિકારીઓ તેની સાથે સહમત ન હતા

 

નવી દિલ્હી :ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધવા માટે રાજી હતા પરંતુ તે પહેલા રાજીવ ગાંધીની હત્યા થતા ઉકેલ આવ્યો નથી તેમ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું

    ઝરદારીએ એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ અને રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની પાસે કાશ્મીર માટે એક સિક્રેટ પ્લાન હતો. પરંતુ પાકિસ્તાની સેનાના મોટા અધિકારીઓ તેની સાથે સહમત હતા.

   ઝરદારીએ લાહોરમાં કાશ્મીર રેલી દરમિયાન જણાવ્યું કે, બેનઝીર ભુટ્ટોએ રાજીવ ગાંધી સાથે 1990માં વાત કરી હતી અને તે વાત પર સહમતી વ્યક્ત કરી હતી કે કાશ્મીરના મુદ્દાનો ઉકેલ મૈત્રીપૂર્ણ રીતે શોધવામાં આવે. રાજીવ ગાંધીએ બેનઝીરને જણાવ્યું હતુ કે, છેલ્લા 10 વર્ષોમાં પાકિસ્તાન તરફથી જનરલ જિયા સહિત કોઇએ પણ મુદ્દે તેમની સાથે વાત કરી હતી. ઝરદારીએ જણાવ્યું કે રાજીવ ગાંધીએ સ્વિકાર કર્યો હતો કે કાશ્મીર એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને તેનો ઉકેલ લાવવો જોઇએ. રાજીવે કહ્યું હતુ કે તેઓ મુદ્દો સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાન સમક્ષ ઉઠાવશે. પરંતુ 1991માં તેમની હત્યા થઇ ગઇ.

(11:04 pm IST)