Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિમાં સંકળાયેલ શેખઅલી અકબરને યુપી એટીએસે ઝડપી લીધો

એટીએસની ટીમે લખનૌથી ઝડપેલા શેખ અલીની સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા સઘન પૂછપરછ

 

લખનૌઃ ઉત્તરપ્રદેશ એટીએસએ ફરી સપાટો બોલાવ્યો છે અને મોટી સફળતા મળી છે. કશ્મીરમાં સંદિગ્ધ આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલો શેખઅલી અકબરને એટીએસની ટીમે લખનૌથી ઝડપી લીધો છે પોલીસ ઘણા સમથી અલી અકબરને શોધી રહી હતી જેને ઝડપી લેવાયા બાદ .

હાલ સુરક્ષા એજન્સી અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
  
પહેલા ડિસેમ્બર 2017માં એન.આઈ. દ્વારા લખનૌમાંથી લશ્કરે તૈયબાનો આતંકી શેખ અબ્દુલ નઈમની ધરપકડ કરી હતી.નઈમે 2006માં હૈદરાબાદમાં થયેલા બોંબ વિસ્ફોટનો મુખ્ય આરોપી હતો. નઈમ ચાલુ ટ્રેને કુદીને ફરાર થઈ ગયો હતો. થોડા મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

(9:21 am IST)