Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

સાંજે મા જાનકીજીની જન્મભૂમિ સીતામઢી-બિહારમાં પૂ. મોરારીબાપુની રામકથાનો પ્રારંભ

રાજકોટ, તા. ૬ :. પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજથી બિહારના સીતામઢી ખાતે શ્રીરામકથાનો પ્રારંભ થયો છે.

બિહારમાં આવેલ મા જાનકીજીની જન્મભૂમિ 'સીતામઢી'માં માં જાનકી જન સેવા ટ્રસ્ટ દ્વારા આજે તા. ૬થી ૧૪ સુધી પૂ. મોરારીબાપુના વ્યાસાસને મીથીલાધામ, ખરકા રોડ, ગૌશાળા ચોક ખાતે આજે સાંજે ૪ વાગ્યાથી શ્રીરામકથાનો પ્રારંભ થશે.

આજે શ્રીરામકથાના પ્રથમ દિવસે સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનું રસપાન કરાવશે. જ્યારે તા. ૭ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન સવારના ૯.૩૦ થી ૧.૩૦ સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનું રસપાન કરાવશે.

શ્રીરામકથાનું આસ્થા ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

(12:29 pm IST)