Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

નાઈજિરિયામાં મસ્‍જિદ પર હુમલોઃ ઈમામ સહિત ૧૨ લોકોની હત્‍યા

કેટલાય લોકોનું કરાયું અપહરણ

નવી દિલ્‍હી, તા.૫: નાઈજિરિયામાં બંદૂકધારીઓએ મસ્‍જિદને નિશાન બનાવી આ ઘટનામાં ઈમામ સહિત નમાજ અદા કરી રહેલા ૧૨ લોકોના મોત થયા છે. રાજ્‍યની પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. શનિવારે રાત્રે થયેલી આ ઘટનામાં હુમલાખોરોઓએ મસ્‍જિદમાંથી કેટલાક લોકોનું અપહરણ કર્યું છે. પહેલા પણ નાઈજિરિયામાં બંદૂકધારીઓના હુમલાઓ થયા હતા.

સમાચારો મુજબ આ ગેંગ લોકોની હત્‍યા કરે છે અથવા તો તેમનું અપહરણ કરાવી લેવાય છે. એટલું જ ગૈંગ ગ્રામીણ વિસ્‍તારમાં પ્રોટેક્‍શન મનીના નામે ઉઘરાણું પણ કરે છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ રાષ્‍ટ્રપતિ મોહમ્‍મદ બુહારીએ કાટસીનાના ફુંટુઆના રહેવાસી લાવલ હારુનને ઘટનાની જાણકારી આપી છે. તેણે બતાવ્‍યું કે બંદૂકધારી મોટરબાઈક્‍સ પર મૈગમજી મસ્‍જિદ પહોંચ્‍યા અને ગોળીબાર શરૂ કરી દીધો. ઘટના પછી મસ્‍જિદમાં પહોંચેલા લોકો ભાગવા મજબૂર થયા હતા. તેણે બતાવ્‍યું કે ગોળીબારીમાં ફસાયેલા લગભગ ૧૨ લોકોના મોત થયા છે. ફૂંટુઆના રહેવાસીએ કહ્યું કે, આ પછી તે લોકોએ કેટલાક લોકોને એકત્ર કર્યા અને તેઓને ઝાડીમાં લઈ ગયા. હું પ્રાર્થના કરી રહ્યો હતો. કે ડાકૂ અપહરણ કરેલા માસૂમ લોકોને છોડી દે. આ ગેંગ બે દેશોની વચ્‍ચે સરળતાથી અવરજવર કરે છે.

(11:31 am IST)