Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પાકિસ્‍તાન ઉપર હુમલો થાય તો તે સામે સશસ્‍ત્ર દળો હંમેશા તૈયાર છેઃ દેશના જવાનો માતૃભૂમિના દરેક ઇંચની જમનની રક્ષા કરવા દુશ્‍મનો સામે લડવા તૈયાર છેઃ પાકિસ્‍તાનના નવા આર્મી જનરલ સૈયદ અસીમ મુનીર

 જનરલ મુનીર એલ.ઓ.સી. રાખીચીકી સેકટરની મુલાકાત લીધીઃ જનરલ મુનીરે નિવૃત થયેલા કમર જાવેદ બાજવાનું સ્‍થાન લીધું

પાકિસ્તાનના નવા નિયુક્ત આર્મી સ્ટાફ (COAS) જનરલ સૈયદ અસીમ મુનીરે શનિવારે કહ્યું હતું કે જો તેમના દેશ પર હુમલો થશે, તો પાકિસ્તાન તેની માતૃભૂમિની રક્ષા કરશે અને દુશ્મનો સામે લડશે. મુનીરે શનિવારે (3 નવેમ્બર) રાખીચિકરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી)ની મુલાકાત દરમિયાન કહ્યું, “હું સ્પષ્ટ કરી દઉં કે, પાકિસ્તાનની સશસ્ત્ર દળો હંમેશા તૈયાર છે, માત્ર આપણી માતૃભૂમિના દરેક ઇંચની રક્ષા કરવા સહિત દુશ્મનો સાથે લડવા માટે પણ તૈયાર છે.

જનરલ અસીમ મુનીરે ધમકી આપી, “પાકિસ્તાની સેના તેની જમીનના એક-એક ઈંચની રક્ષા કરશે. જો અમારા પર યુદ્ધ લાદવામાં આવે તો અમે લડવા તૈયાર છીએ. મુનીરે એલઓસી પર પાકિસ્તાની સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. મુનીરે કહ્યું કે તાજેતરમાં ગિલગિટ બાલિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વ તરફથી બેજવાબદાર નિવેદનો આવ્યા છે. જનરલ મુનીર જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લીધું છે, જેઓ નવેમ્બર 2022 માં ત્રણ વર્ષની સેવા પછી નિવૃત્ત થાય છે.

પાક સેનાના વડાએ કહ્યું કે, “કોઈપણ ગેરસમજના પરિણામે કરવામાં આવેલ કોઈપણ દુ:સાહસનો હંમેશા અમારા સશસ્ત્ર દળોની સંપૂર્ણ શક્તિ સાથે સામનો કરવામાં આવશે.” જનરલ મુનીરનું આ નિવેદન ભારતીય સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન બાદ આવ્યું છે. અસલમાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પરત લેવા જેવા આદેશોને અમલમાં મૂકવા માટે તૈયાર છે.

જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારતીય સેનાનો સવાલ છે, તે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાછું લેવા માટે તૈયાર છે. કોઈપણ આદેશનું પાલન કરશે. પીઓકેને પરત લેવાના સંરક્ષણ પ્રધાનના નિવેદન પર ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, “જ્યારે પણ આવા આદેશો આપવામાં આવશે, અમે હંમેશા તેના માટે તૈયાર રહીશું.”

જે બાદ પાક આર્મી ચીફે કહ્યું કે ભારત તેની નાપાક મનસૂબાઓ ક્યારેય પૂર્ણ કરી શકશે નહીં. વિશ્વએ ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ અને યુએનના ઠરાવ મુજબ કાશ્મીરના લોકોને જે વચન આપવામાં આવ્યું છે તે પૂર્ણ કરવું જોઈએ.

(12:00 am IST)