Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની જાહેરાત : ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા આપશે

ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રત્યેકને 5 લાખ રૂપિયા અને નજીવા ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવાની સૂચના આપી

નવી દિલ્હી : ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે, સીએમઓએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ, આંઘ્રપ્રદેશના મૃતકોના દરેક પરિવારને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રત્યેકને 5 લાખ રૂપિયા અને નજીવા ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવાની સૂચના આપી છે.

(8:12 pm IST)