Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કોરોના વેકસીન માટે સમયસીમા સમાપ્તઃ હવે ર૪ કલાક રસીકરણ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહયું છે કે સરકારે કોરોનાની રસીની સ્પીડ વધારવા માટે સમયસીમા સમાપ્ત કરી છે. હવે નાગરીકો ર૪ કલાક સાતેય દિવસ પોતાની સુવિધા અનુસાર રસી લઇ શકે છે. જયારે રસીકરણ શરૂ થયું ત્યારે સવારે ૯ થી બપોરે ૩ સુધીનો સમય નક્કી કરાયો હતો. દેશભરમાં કોરોનાની ૧.પ૪ કરોડ લોકોએ રસી લીધી છે. ૧ લી માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના અને ગંભીર બિમારીગ્રસ્ત ૪પ થી ઉપરના લોકોનું રસીકરણ શરૂ થયું છે.

(3:53 pm IST)