Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

મુખ્યમંત્રી યોગીએ કાનપુર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુરમાં થયેલા દર્દનાક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે પીડિત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને લખ્યું કે, કાનપુર જિલ્લામાં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના.”

(11:13 pm IST)