Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બીસીસીઆઈએ ક્રિકેટ સલાહકાર સમિતિની કરી રચના

અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને શુલક્ષા નાઈક ત્રણ સભ્યોનો સમિતિમાં સમાવેશ

મુંબઈ :બીસીસીઆઈએ ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ની રચના કરી છે. અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને શુલક્ષા નાઈક આ સમિતિના સભ્યો હશે.

અશોક મલ્હોત્રાએ ભારત માટે સાત ટેસ્ટ અને વીસ વનડે રમી છે. તેઓ ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પરાંજપે ચાર વન-ડે રમી ચૂક્યા છે અને પસંદગી સમિતિનો ભાગ રહી ચૂક્યા છે.

બે ટેસ્ટ, 46 વનડે અને 31 ટી-20 રમી ચૂકેલા નાઈક અગાઉ સમિતિનો ભાગ હતા. તેમની સાથે મદન લાલ અને રુદ્ર પ્રતાપ હતા, જેઓ આ વખતે આ સમિતિમાં નથી.હવે CAC નવી પસંદગી સમિતિની પસંદગી કરે છે

(8:12 pm IST)