Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

લવ જેહાદીઓને ચોકની વચ્ચોવચ લોકોની સામે ફાંસીએ લટકાવી દો : અખાડા પરિષદના મહંત નરેન્દ્રગીરીનું મોટું નિવેદન : આ માટે ચોક્કસ ટોળકી કામ કરે છે : વિધર્મી યુવાનો હાથમાં કડા, ગળામાં માળા, કપાળમાં તિલક કરી દીકરીઓને ફસાવે છે

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લવ જેહાદ ઉપર આપેલ નિવેદનને અખિલ ભારતીય અખાડા પરિષદે સમર્થન આપ્યું છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરી એ કહ્યું છે કે હવે સમય આવી ગયો છે જ્યારે લવ જેહાદીઓના "રામ નામ સત્ય" થઈ જવા જોઈએ. 

તેમણે કહ્યું કે લવ જેહાદીઓને એવો દંડ મળે કે તેમની આવનારી અનેક પેઢીઓ યાદ રાખે. મહંત નરેન્દ્ર ગીરી એ કહ્યું છે કે લવ જેહાદ ના વિષયને બેહદ ગંભીરતાથી લેવો જોઈએ, આ ગંભીર અપરાની શ્રેણીમાં આવે છે.

લવ જેહાદ હેઠળ કેટલાક મુસ્લિમ યુવકો તિલક લગાવીને, હાથમાં કડા પહેરીને અને રુદ્રાક્ષની માળા ધારણ કરીને હિન્દુ બહેન દીકરીઓને પ્રેમજાળમાં ફસાવે છે, પછી તેની સાથે શાદી કરે છે અને જબરજસ્તીથી ધર્મ પરીવર્તન કરવા દબાણ લાવે છે. જેનાથી હિન્દુ બહેન-બેટીઓના સમગ્ર જીવન બરબાદ બની જાય છે અને હિન્દુ બહેન દીકરીઓની હત્યા પણ થઈ જાય છે અથવા તેમને તરછોડી દેવામાં આવે છે.

મહંત નરેન્દ્ર ગીરી કહે છે કે લવ જેહાદીઓને ચોકની વચ્ચે જનતાની સામે ફાંસીએ લટકાવી દેવા જોઈએ. મહંતશ્રીએ કહ્યુ કે હાઈકોર્ટે પણ પોતાના મહત્વના ચૂકાદામાં કહ્યું છે કે માત્ર શાદી માટે ધર્મ પરિવર્તન કાયદેસર ગણાશે નહીં અને દંડનીય અપરાધની શ્રેણીમાં તેને ગણવામાં આવશે. 

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ શ્રી તો ત્યાં સુધી કહે છે કે લવ જેહાદની વધી રહેલી ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક એક સંગઠિત ટોળકી કામ કરી રહી છે જેમાં મુસ્લિમ ધર્મ ગુરુ અને મૌલાનાઓ પણ સામેલ છે. પૂજ્ય નરેન્દ્ર ગીરીજીએ કહ્યુ કે હિન્દુ બહેન દીકરીઓને અપીલ કરું છું કે લવ જેહાદીઓના ફાંસલામાં ન ફસાય અને આ દીકરીઓને કહ્યું કે તેઓ તેમના માતા-પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ જીવનસાથી સાથે જ લગ્ન કરે. જો તેમને કોઈ સાથે પ્રેમ છે તો તેના બારામાં સંપૂર્ણ વિગત મેળવી લઈ, પરિવાર સાથે વિચાર-વિમર્શ કરે અને પછી લગ્ન જેવા મહત્વપૂર્ણ નિર્ણય લે.

(7:05 pm IST)