Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

લવ જેહાદના વધતા જતા કિસ્સા પર અંકુશ લાવવા માટે સંત સમાજ પણ આગળ આવ્‍યો કહયું કે લવ જેહાદીઓને ભરબજારમાં ફાંસીને લટકાવો

લખનૌ, : લવ જેહાદના વધતા જતા કિસ્સા પર અંકુશ લાવવા માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કાયદો લાવવાની જાહેરાત કરી છે.જેને સંત સમાજે પણ સમર્થન આપ્યુ છે.

સાધુ સંતોની સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યુ હતુ કે, હવે સમય આવી ગયો છે કે, લવ જેહાદીઓનુ રામ નામ સત્ય થવુ જોઈએ અને તેમને એવો દંડ મળવો જોઈએ કે તેમની આવનારી પેઢીઓ પણ યાદ રાખે.

મહંતે કહ્યુ હતુ કે, લવ જેહાદના વિષયને ગંભીરતાથી લેવાનીજ રુર છે.કારણકે અપરાધની શ્રેણીમાં આવે છે.સંત સમાજની સાથે હિન્દુ સમાજ પણ માંગણી કરી રહયો છે કે, લવ જેહાદને રોકવા માટે આકરો કાયદો બને અને હિન્દુ યુવતીઓનુ જીવન બરબાદ થતુ અટકે.લવ જેહાદમાં કેટલાક વિધર્મીઓ તિલક લગાવીને અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને હિન્દુ બહેન દીકરીઓને પ્રે્મ જાળમાં ફસાવે છે અને પછી લગ્ન કરીને તેમના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરે છે.જેનાથી હિન્દુ બહેન દીકરીઓનુ જીવન બરબાદ થઈ જાય છે.તેમાંથી કેટલીકની તો હત્યા પણ કરી દેવાય છે અથવા તેમને છોડી દેવાય છે. દંડનીય અપરાધ છે.

તેમણે કહ્યુ હતુ કે, લવ જેહાદીઓને બજારમાં ફાંસી આપવી જોઈએ.લવ જેહાદ પાછળ એક આખી ગેંગનો હાથ છે.જેમાં મુસ્લિમ ધર્મગુરુઓ પણ સામેલ છે.તેમને માટે પૈસા પણ પૂરા પડાયા છે. ફડિંગ રોકવુ જરુરી છે.છેલ્લા 15 -20 વર્ષથી સરકારોએ બાબત પર ધ્યાન નહીં આપ્યુ હોવાથી લવ જેહાદીઓ બેફામ થઈ ગયા છે.

અખાડા પરિષદે હિન્દુ યુવતીઓને અપીલ કરતા કહ્યુ છે કે, લવ જેહાદીઓની જાળમાં ફસાતા નહી અને માતા પિતા કહે ત્યાં લગ્ન કરશો.જો કોઈના પ્રેમમાં તમે હોવ તો પરિવાર સાથે ચર્ચા કરીને લગ્ન અંગે નિર્ણય લેજો.

(3:50 pm IST)