Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

હાશ...રાજકોટ શહેર - જિલ્લામાં આજે કોરોનાથી 2 મોત : સરકારી-ખાનગી હોસ્પિટલમાં 2133 બેડ ખાલી

રાજકોટ  : રાજકોટ શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાથી આજે મૃત્યુ આંકમાં એકદમ ઘટાડો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જ  રાતમાં 2 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં  રિપોર્ટ મુજબ ગઈકાલે 4 મોત પૈકી એક પણ  મૃત્યુની નોંધ થઈ નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.31 ઓક્ટોબર નાં  સવારનાં 8 વાગ્યા થી આજે તા.1 નવેમ્બરનાં  સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 2 દર્દીઓએ દમ તોડી દીધા હતો . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 2133 બેડ ખાલી છે.

(1:43 pm IST)