Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

કોંગ્રેસના પૂર્વ સાંસદ અન્નૂ ટંડન અને પ્રદેશ મહાસચિવ અંકિત પરિહાર સહિત કોંગ્રેસના નેતાઓ સમાજવાદી પાર્ટીમાં જોડાશે

સપા કાર્યાલયમાં તમામ નેતાઓને અખિલેશ યાદવ પાર્ટીનું સભ્યપદ અપાવશે.

વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અન્નૂ ટંડન સમાજવાદી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. શનિવારે અન્નૂ ટંડને આ અંગે એક ઓડિયો ક્લિપ વાયરલ કરીને જાણકારી આપી હતી. પૂર્વ સાંસદ અન્નૂ ટંડન 2 નવેમ્બરના રોજ સમાજવાદી પાર્ટી જોઈન કરશે. તેમની સાથે યુપી કોંગ્રેસના મહાસચિવ અંકિત પરિહાર પણ સપામાં જોડાવા જઈ રહ્યા છે. અહીં સપા કાર્યાલયમાં આ તમામ નેતાઓને અખિલેશ યાદવ પાર્ટીનું સભ્યપદ અપાવશે.

આ અગાઉ 29 ઓક્ટોબરના રોજ પૂર્વ સાંસદ અન્નૂ ટંડને કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ

(12:00 am IST)