Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જો હું લોકોના દિલ-દિમાગમાં રહીશ તો મોદીજી પણ મારી કારકિર્દી ખતમ નહીં કરી શકે

બીજેપીના રાષ્‍ટ્રીય સચિવ પંકજા મુંડે પીએમ મોદીથી નારાજ

બીડ,તા. ૧ : બીજેપીના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે પીએમ મોદીથી ખૂબ જ નારાજ જોવા મળે છે. બીડ જિલ્લાના અંબાજોગાઈ ખાતે જાહેર રેલીમાં, તેમણે કહ્યું, ‘જો હું લોકોના હૃદય અને દિમાગમાં રહીશ તો મોદીજી પણ મારી રાજકીય કારકિર્દીનો અંત નહીં કરી શકે.'

તેમનું નિવેદન એવા સમયે આપવામાં આવ્‍યું છે જયારે મહારાષ્ટ્ર એક પખવાડિયાથી પીએમ મોદીના જન્‍મદિવસની ઉજવણી કરી રહ્યું છે. જો કે, મુંડેના આ નિવેદનથી રાજયના ભાજપના નેતાઓ દૂર રહેતા જોવા મળી રહ્યા છે. તેમણે આ નિવેદન પર કંઈપણ કહેવાનું ટાળ્‍યું છે.

ભાજપના યુવા નેતા પંકજા મુંડેએ પોતાની જીભ પર દિલની વાત વ્‍યક્‍ત કરી છે કે તેઓ પીએમ મોદીના દબાણમાં નથી. રાજયમાં પીએમ મોદીના જન્‍મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે દરમિયાન અંબાજોગાઈની રેલીમાં તેમણે સ્‍પષ્ટ કહ્યું કે, ‘જો હું લોકોના દિલ-દિમાગમાં રહીશ તો મોદીજી પણ મારી રાજકીય કારકિર્દીનો અંત નહીં લાવી શકે. કોંગ્રેસ પાર્ટીમાં વંશવાદી રાજકારણ ચાલી રહ્યું છે. જો કે મોદીજી વંશવાદની રાજનીતિનો અંત લાવવા માંગે છે. હું એક રાજકીય પરિવારનો છું, પરંતુ જો હું તમારા દિલ અને દિમાગમાં રહીશ તો કોઈ મારી (કારકિર્દી) ખતમ કરી શકશે નહીં.'

(9:50 am IST)