Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

પુણેમાં અભિનેત્રી પાયલ રોહતગી સામે કેસ નોંધાયો

પાયલ પર મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ

પુણેમાં અભિનેત્રી પાયલ રોહતગી સામે કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી પરનો આ કેસ નેહરુ-ગાંધી પરિવારના લોકો પર અભદ્ર ટિપ્પણી માટે કરવામાં આવ્યો છે. પાયલ પર મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. પાયલ સામે તેના સોશિયલ મીડિયાના કારણે આ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે પાયલ રોહતગી તેના સોશિયલ મીડિયા વીડિયોના કારણે મુશ્કેલીમાં છે.

(3:38 pm IST)