Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કેરળમાં કોરોનાનો કહેર વધ્યો : દેશમાં 43.068 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 34.205 દર્દીઓ રિકવર થયા : વધુ 462 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.39.054 થયો :એક્ટીવ કેસ 3.72.722 થયા : કુલ કેસની સંખ્યા 3.28.10.892 થઇ

સૌથી વધુ કેરળમાં 30.203 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4196 કેસ, તામિલનાડુમાં 1512 કેસ, કર્ણાટકમાં 1217 કેસ,મિઝોરમમાં 1157 કેસ,આંધ્રપ્રદેશમાં 1115 કેસ, ઓરિસ્સામાં 638 કેસ,આસામમાં 570 કેસ, પશ્ચિમ બંગાળમાં 546 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 43.068 કેસ નોંધાયા છે. જ્યારે 34.205 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 43.068  નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 462 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.39.054 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 43.068 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.28.10.892 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.72. 722 થઇ છે છેલ્લા 24 કલાકમાં 34.205 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.19.86.322 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી વધુ કેરળમાં 30.203 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4196 કેસ, તામિલનાડુમાં 1512 કેસ,કર્ણાટકમાં 1217 કેસ,મિઝોરમમાં 1157 કેસ,આંધ્રપ્રદેશમાં 1115 કેસ, ઓરિસ્સામાં 638 કેસ,આસામમાં 570 કેસ, પશ્ચિમ બંગાળમાં 546 કેસ નોંધાયા છે

(1:07 am IST)