Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

હુ થપ્પડ મારીશ ત્યારે સામે વાળો ઉભો પણ નહીં થઇ શકે : ઉદ્ધવ ઠાકરે આકરા પાણીએ : દેવેન્દ્ર ફડણવિસનો પલટવાર

ભાજપ નેતાએ શિવસેના ભવન તોડવાની ધમકી આપી : ઉદ્ધવ ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન

મુંબઈ :  ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડ દ્વારા એવી ધમકી આપવામાં આવી હતી કે તેઓ શિવસેના ભવનને ફોડી કાઢશે, મુંબઈના દાદરમાં શિવસેના ભવન આવેલું છે જેના પર હુમલો કરવાની તેમણે ધમકી આપી હતી. જે ધમકીને લઈને શિવસેનાના નેતાઓ દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે. સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ તેમનો ગુસ્સો ઠાલવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમને ટીકા-ટિપ્પણીઓ સાંભળવાની આદત પડી ગઈ છે.સાથે જ તેમણે કહ્યું કે જ્યારે કોઈ વખાણ કરે ત્યારે પણ તેમને ડર લાગે છે. ઉપરાંત તેમણે પેલો ડાયલોગ પણ કહ્યો કે થપ્પડસેડર નહી લગતા પ્યાર સે લગતા હે, આ ડાયલોગ બોલીને તેમણે એવું કહ્યું કે તેઓ થપ્પડ તો લેતા અને આપતા આવ્યા છે, અને આગળ પણ આપશે.

 

વધુંમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ નેતા પર પલટ વાર કરતા કહ્યું કે તેમની થપ્પડ મારવાની ધમકી ક્યારેય ન આપતા. સાથેજ તેમણે કહ્યું જ્યારે હુ થપ્પડ મારીશ ત્યારે સામે વાળો ઉભો પણ હી થઈ શકે. આ નિવેદનને લઈને ઉદ્ધવ ઠાકરે ઘણા ચર્ચામાં આવ્યા છે.

 

સમગ્ર મામલે ભાજપના પૂર્વ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તોડફોડ કરવી ભાજપની સંસ્કૃતિ નથી. બીજી તરફ પ્રસાદ લાડ દ્વારા પણ વીડિયો અપલોડ કરીને સફાઈ આપવામાં આવી છે કે તે મુદ્દો સમાપ્ત થઈ ગયો છે. સાથેજ તેણે એવું પણ કહ્યું કે અમે કોઈને છેડતા નથી, અને જો કોઈ અમને છેડે તો અમે તેને છોડતા નથી.

(9:33 pm IST)