Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

સુપ્રિમ કોર્ટમાં પ મી ઓગસ્ટ પેગાસીસ કાંડ અરજીઓની સુનાવણી હાથ ધરાશે

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા એમ.વી. રમન્ના અને સાથી જજ સાંભળશે અરજી પર દલીલો રજુઆતો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા 5મી ઓગસ્ટના રોજ પેગાસસ કાંડમાં કથિત જાસૂસીના આરોપ સામે તપાસની અરજીઓ પર સુનાવણી હાથ ધરાશે. વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશિ કુમાર સહિત પેગાસસ કાંડમાં સ્વતંત્ર તપાસની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમન્ના અને જસ્ટિસ સૂર્ય કાંતના વડપણ હેઠળની બેન્ચ 5મી ઓગસ્ટે આ અરજીઓની સુનાવમી હાથ ધરશે. પેગાસસ સ્પાયવેર દ્વારા દેશના નામાંકિત નાગરિકો, પત્રકારો, વિપક્ષના નેતાઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકોની જાસૂસી કરવામાં આવી હોવાના આરોપ થયા છે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ એન રામના વતી દલીલો રજૂ કરશે. તેમણે ગત સપ્તાહે કોર્ટને જણાવ્યું હતું કે આની અસર વ્યાપક હોવાથી અરજી પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવી જોઈએ. અરજીમાં જણાવાયું છે કે, આ પ્રકારની કથિત જાસૂસીથી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરજીમાં સરકારને નિર્દેશ આપવાની માંગ કરાઈ છે કે તેમની પાસે અથવા તેમના કોઈ એજન્સી પાસે પેગાસસ સ્પાયવેરના ઉપયોગ માટેનું લાઈસન્સ છે કે નહીં તે જણાવે.

એન રામ અને કુમાર ઉપરાંત એડવોકેટ એમ એલ શર્મા અને જોન બ્રિટાસ દ્વારા બે અન્ય સ્વતંત્ર પીટિશન પણ દાખલ કરવામાં આવી છે. શર્માએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) રચવા માંગ કરી છે.

(3:05 pm IST)