દેશ-વિદેશ
News of Friday, 12th January 2018

બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી કાર્યાલય પાસે ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના કાર્યાલય પાસે આતંકવાદીઓના છુપાવવાની જગ્યા પર આજ રોજ દેશના અપરાધી રોધી એલિટ ફોર્સ દ્વારા આપવામાં આવેલ કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.સ્થાનિક મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે રૈપિડ એક્શન બટાલિયનના મહાનિર્દેશક બેનીઝર અહમદે ત્રણ આતંકવાદીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે સુરક્ષા બળના સભ્યોએ આ કાર્યને અંજામ આપ્યો છે તેમને આતંકવાદીઓ પર ગોળીબારી કરે અને જેમાં ત્રણ મોતને ભેટ્યા તેમજ આરએબીના બે જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે.

(6:36 pm IST)