Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

જાણો વહેલા સુવાના ફાયદાઓ

નવી દિલ્હી: ૬ વર્ષ સુધી ૪.૫૦ લાખ લોકોના સ્ટડીનું તારણ એક સંશોધન મુજબ જે લોકો વહેલા સુઇ જાય છે તે મોડા સુઇ જનારાની સરખામણીમાં ૧૦ ટકા વધુ જીવે છે. બ્રિટનમાં થયેલા સંશોધન પ્રયોગમાં ૩૮ થી ૭૩ વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૬ વર્ષના લાંબા સર્વેમાં થતા મુત્યુનો પણ સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦.૫૦૦ લોકોના મોત થયા હતા. એટલે કે રિસર્ચરોએ જોયું કે જે લોકો મોડે સુધી જાગતા હતા અને સવારે મોડે સુધી સૂઇ રહેતા હતા તેવા લોકોના મુત્યુનું પ્રમાણ ૧૦ ટકા વધારે હતું.  આ સંશોધનમાં  ધુ્રમપાન, શરાબની આદત, વજન તથા સામાજિક આર્થિક સ્થિતિ પણ જોવામાં આવી હતી. સંશોધકનું માનવું છે કે આ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્વો હોવાથી તેને નજર અંદાજ કરી શકાય નહી.  વહેલા કે મોડા ઉઠનારા મોટા ભાગનાએ એ પણ કબુલ્યું હતું કે પોતાને વહેલી સવારમાં વર્ક કરવા આનંદ આવે છે. મોડે સુધી જાગતા લોકોને મુત્યુનો ડર પણ વધારે સતાવતો હતો. તેમનામાં ડાયાબિટીસ, પેટ અને શ્વાસને લગતી તકલીફ, શરાબ અને ધુ્રમપાનનું વ્યસન પણ વધારે હતું. સંશોધકોનું કહેવું હતું કે મોડે સુધી જાગવા અને સૂવાથી બાયોલોજિકલ કલોક આસપાસના વાતાવરણ સાથે મેચ થતી નથી. ખોટા સમયે ભોજન લેવાથી, અપૂરતી ઉંઘ તથા કસરતના અભાવથી માનસિક તણાવ પેદા થાય છે. મોડે સુધી જાગનારાઓએ પોતાની આ ટેવ બદલવી જોઇએ એટલું જ નહી તબીબી સલાહ પણ લેવી જોઇએ. શિકાગોની નોર્ધન યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે રાત્રે મોડે સુધી જાગનારા લોકોની સમસ્યા પણ જુદી હોય છે. જો કે મોડા સુધી જાગવાની આ ટેવ જીનેટિકલી પણ હોઇ શકે છે

 

(6:29 pm IST)